ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવભર્યું અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએતપાસના આદેશ આપ્યા છે. એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે પણ આર ટી ઈના વિદ્યાર્થીઓને નોન એસી ક્લાસમાંઅલગથીબેસાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં વતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા. આ આખા મામલે શાળાનો બચાવ છે કે દિલ્લી હાઇકોર્ટે એસીનો ખર્ચ વાલીઓને ઉઠાવવા જણાવ્યું છે તેને આધાર બનાવી આર ટી ઈના બાળકોને અલગ બેસાડવામાં આવ્યા છે. પણ આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસ ના આદેશ આપ્યા છે.




