Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુસ્લિમને નથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર, હાઈકોર્ટે કહ્યું : રીતિ-રિવાજ નથી આપતા પરવાનગી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અલ્હાબાદ હાઈકોર્ટેની લખનૌઉ પીઠે અંતરધાર્મિક કપલના મામલામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે ઈસ્લામ ધર્મને માનતા કોઈ મુસલમાન વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે, ખાસ કરીને ત્યારે જ્યારે પહેલાથી જ તેની કોઈ જીવન સાથે હોય. સાથે જ કોર્ટે કહ્યું છે કે મુસલમાન જે રીતિ રિવાજને માને છે તે તેમને લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો હક નહીં આપતા. આ આદેશ જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ એકે શ્રીવાસ્તવ પ્રથમની ખંડપીઠે સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ એક રિટ અરજી પર આપ્યું છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં બન્નેએ આ મામલમાં નોંધેલી ફરિયાદને રદ્દ કરવા અને લિવ ઈન રિલેશનમાં રહેતી વખતે સુરક્ષા આપવાની અરજી કરી હતી. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ નાગરિકની વૈવાહિક સ્થિતિની વ્યાખ્યા પર્સનલ લો અને સંવિધાનિક અધિકારો એટલે કે બન્ને કાયદા હેઠળ કરવામાં આવે છે ત્યારે ધાર્મિક રીતિ રિવાજોને પણ સમાન મહત્વ આપવું જોઈએ.

હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે સામાજીક અને ધાર્મિક રીતિ રિવાજ અને પ્રથાઓ સહિત સંવિધાનથી માન્યતા પ્રાપ્ત કાયદા, જેને સક્ષમ વિધાનમંડળે બનાવ્યા હોય તે સમાન રહે છે. ન્યાયમૂર્તિ એ આર મસૂદી અને ન્યાયમૂર્તિ અજય કુમાર શ્રીવાસ્તવ-પ્રથમની ખંડપીઠે આ ટિપ્પણી એક હિંદૂ-મુસ્લિમ કપલના લિવ ઈન રિલેશનશિપમાં દાખલ ન આપવાની રિક્વેસ્ટ વાળી અરજી પર આપેલા આદેશમાં કરી છે. આ અરજીમાં એક વ્યક્તિના સામે અપહરણના મામલાને ફગાવવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!