આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસની ટીમ સીએમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસેઆ કેસના મુખ્ય આરોપી બિભવ કુમારની સીએમ આવાસમાંથી ધરપકડ કરી છે. જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલે આ મામલે એફઆઈઆરપણ નોંધાવી છે. જ્યારથી એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી દિલ્હી પોલીસ સતત બિભવ કુમારને શોધી રહી હતી.
દિલ્હી પોલીસને બિભવકુમારનાસીએમ હાઉસમાં હોવાની માહિતી પહેલાથી જ મળી હતી. માહિતી બાદ એસએચઓ સિવિલ લાઈન્સ અને એડિશનલ ડીસીપીનોર્થ પોલીસ ટીમ સાથે સીએમ આવાસ પહોંચ્યા. માહિતી મળ્યા બાદ એક વાહન સીએમ હાઉસ પહોંચ્યું. જ્યારે દિલ્હી પોલીસની ટીમ સીએમ હાઉસ પહોંચી તો ત્યાંના દરવાજા પહેલાથી જ ખુલ્લા હતા.આ વાહન ગેટ પર રોકાયું ન હતું અને સીધું સીએમ હાઉસ તરફ ગયું હતું. વાહન માટે સીએમ હાઉસમાં પહેલાથી જ મેસેજ હતો.
આ પછી દિલ્હી પોલીસની ટીમ સીધી સીએમ હાઉસ ગઈ અને ત્યાંથી બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ બાદ દિલ્હી પોલીસ બિભવ કુમારને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે, ધરપકડ પહેલા બિભવ કુમારે એક મેઈલ મોકલ્યો હતો, જેમાં તેણે દરેક તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. પોતાના મેલમાંબિભવ કુમારે લખ્યું છે કે ‘હું દરેક તપાસમાં સહકાર આપવા તૈયાર છું. મને મીડિયા દ્વારા એફઆઈઆર નોંધવાની ખબર પડી. એફઆઈઆરબાદ હજુ સુધી મને કોઈ નોટિસ આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે પણ મારી ફરિયાદ પર ધ્યાન આપવું જોઈએ.
