છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભીષણ અકસ્માત સર્જાયો. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક રવિવારે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થઇ ગઇ હતી.
જયારે આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છત્તીસગઢના ચટૌદ ગામના વતની પુનીત સાહૂના સંબંધીઓ હતા.
