તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સારસા ગામ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમા વૃદ્ધાનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદના સારસા ગામ પાસે ટ્રકની ટક્કરે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર વલાસણના વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ અને જમાઈને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ખંભળોજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના વલાસણ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા રંજનબેન રાવજીભાઈ પંચાલના માતા વિમળાબેન ભોગીલાલ પંચાલ (ઉ.વ.૭૯), પિતા ભોગીલાલ પંચાલ અને તેણીના પતિ રાવજીભાઈ દશામાના વ્રતની ઉજવણી માટે સોમવારે સારસા ગયાં હતાં.

તેઓ આણંદ ગણેશ ચોકડીથી રિક્ષામાં બેસી સારસા જઈ રહ્યાં હતાં. ત્યારે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે સારસા શિવ શક્તિ કાંટા પાસે આણંદ તરફ આવી રહેલી ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં વિમળાબેનનું માથામાં ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રાવજીભાઈ અને ભોગીલાલને ઈજાઓ પહોંચી હતી. લાશને સારસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે રંજનબેનની ફરિયાદના આધારે ખંભળોજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.