Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડાપ્રધાનશ્રીએ દેશભરનાં યુવાનોને આપી એક મોટી ભેટ, 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશભરમાં 47 શહેરોમાં શનિવારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનોને એક મોટી ભેટ આપતાં 51,000થી વધુ નિમણૂક પત્ર આપ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક અને પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. તેમજ દેશના લાખો યુવાનોને આવા રોજગાર મેળાઓ થકી નોકરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

અમારો મંત્ર છે. ‘બીના પર્ચી, બીના ખર્ચી’. યુવાનોને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિવિધ વિભાગોમાં નિમણૂક પામનારા આ યુવાનો આવનારા સમયમાં દેશના વિકાસની ગતિને વેગ આપશે. કેટલાક યુવાનો દેશના રક્ષણ માટે કામ કરશે, કેટલાક ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સાચા સિપાહી બનશે. કેટલાક નાણાકીય મિશનને મજબૂત બનાવશે તો કેટલાક ઉદ્યોગોના વિકાસમાં યોગદાન આપશે. આ ઉપરાંત વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ‘નિમણૂક મેળવનારા  યુવાનોના વિભાગો ભલે અલગ હોય, તેમનો ઉદ્દેશ્ય એક જ છે – રાષ્ટ્રીય સેવા. તમારા વિભાગો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તમે બધા એક જ શરીરના અંગ છો, અને તે છે – દેશની સેવા.’ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે, રોજગાર મેળા અભિયાનથી એ વિશ્વાસ જાગે છે કે સરકારી નોકરીઓ હવે ભલામણ કે લાંચ વગર પણ મળી શકે છે, માત્ર તમારી ક્ષમતાના આધારે મેળવી શકાય છે.’

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!