Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News: મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ નવા વર્ષના દિવસે ઉદાર હાથે દાન આપ્યું,એક જ દિવસમાં આશરે રૂપિયા 23.29 કરોડનું દાન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ નવા વર્ષના દિવસે ઉદાર હાથે દાન આપ્યું છે. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં આશરે રૂપિયા 23.29 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાતાલની રજાઓ દરમિયાન, નવા વર્ષને વિદાય આપતા અને નવા વર્ષનું સ્વાગત કરતા લોકોએ તેમની શ્રદ્ધા અનુસાર દાન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે દાન પેટીઓમાંથી કુલ રૂપિયા 22,02,61,006, દાન કાઉન્ટરમાંથી રૂપિયા 3,22,43,388, પીઆર ટોલ પાસમાંથી રૂપિયા 2,42,60,000, અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દાન, ચેક/ડીડી અને મની ઓર્ડર દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું, જે કુલ રૂપિયા 10,18,86,955 અને રૂપિયા 16,83,673 વિદેશી ચલણમાં 26 અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા.

મુખ્ય કાર્યકારી અધિકારીએ માહિતી આપી હતી કે લોકોએ ઘરેણાં પણ દાન કર્યા છે. મંદિરમાં રૂપિયા 36,38,610ની કિંમતનું સોનું (293.910 ગ્રામ) અને રૂપિયા 9,49,741ની કિંમતનું ચાંદી (05 કિલો 983 ગ્રામ) દાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નવા વર્ષના પહેલા દિવસે, શ્રી સાંઈ બાબાના ચરણોમાં 655 ગ્રામ વજનનો સોના-હીરાનો મુગટ અને એક આકર્ષક નક્ષિકમ અર્પણ કરવામાં આવ્યું હતું. આ મુગટની કિંમત રૂપિયા 80 લાખ હોવાનો અંદાજ છે અને તેમાં આશરે 585 ગ્રામ શુદ્ધ સોનું અને આશરે 153 કેરેટ કિંમતી હીરા છે.

આ રીતે સંસ્થાને વિવિધ સ્ત્રોતોમાંથી કુલ આશરે રૂપિયા 23,29,23,,373નું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન શ્રી સાંઈ પ્રસાદાલયમાં 6 લાખથી વધુ સાંઈ ભક્તોએ મફત પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો. જ્યારે 1,09,000થી વધુ સાંઈ ભક્તોએ ફૂડ પેકેટનો લાભ લીધો છે. 7,67,444 લાડુ પ્રસાદ પેકેટ વેચાયા હતા, જેના દ્વારા 2,30,23,000 રૂપિયા પ્રાપ્ત થયા છે. 5,76,400 સાંઈ ભક્તોએ મફત પ્રસાદ પેકેટનો લાભ લીધો છે.

મળતી માહિતી મુજબ શ્રી સાંઈબાબા સંસ્થાન દ્વારા પ્રાપ્ત દાનનો ઉપયોગ શ્રી સાંઈબાબા હોસ્પિટલ અને શ્રી સાંઈનાથ હોસ્પિટલ, શ્રી સાંઈ પ્રસાદાલય, સંસ્થાનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મફત ભોજન પૂરું પાડવા, બહારના દર્દીઓ માટે દાન, સાંઈ ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સામાજિક કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!