વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મંત્રીશ્રીએ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં પી.એમ.આવાસ યોજના હેઠળ મંજુર થયેલા તથા પૂર્ણ થયેલા તેમજ બાકી આવાસોની કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓને આવાસ યોજના હેઠળ બાકી કામો સત્વરે પુર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં મંત્રીશ્રીએ તાલુકા પંચાયતના સભ્યો અને સુડાના અધિકારીઓ, તલાટીઓને ગામેગામની સ્થળ વિઝિટ કરી લાભાર્થીઓ, મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને વિગતો સાથે વિવિધ સમસ્યાઓનો સમયમર્યાદામાં ઉકેલ કરવા અંગે જરૂરી સુચનો કર્યા હતા. કોઈ પણ જરૂરિયાતમંદો સરકારી આવાસ યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું.




