Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે.

આ ઠરાવને આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગષ્ટ, 12 ઓગષ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના પાંચ સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે. આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે તે દિવસે પણ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામા આવી છે. આ સાથે પાલિકાએ એવી પણ જાહેરાત કરી છે કે, પાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાનો ભંગ જે લોકો દ્વારા કરવામાં આવશે તેની સામે બીપીએમસી એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!