વડોદરાના દાંડિયા બજારમાં કાકા સાહેબના ટેકરા પર રહેતા નિલેશ ભોળેશ્વરભાઈ કહાર મચ્છીનો વેપાર કરે છે. તેમણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમને જણાવ્યું છે કે, વર્ષ 2023માં મારે રૂપિયાની જરૂર પડતા મારા સગા બહેન શીતલ અરવિંદભાઈ કહાર (રહે.હરિઓમ હાઈટ શ્રી ગણેશ નગર સોમા તળાવ)ને વાત કરી હતી. ત્યારબાદ મે શીતલ કહાર પાસે એક લાખની માંગણી કરતા મારા અગાઉના તથા એડવાન્સ વ્યાજ પેટેના રૂપિયા કાપી મારા પત્નીના એકાઉન્ટમાં માત્ર 63 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જેની સામે અત્યાર સુધી મે 97,000/- વ્યાજ તથા મૂડી તરીકે ચૂકવી દીધા હોવા છતાં વધુ 40 હજારની ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી.



