Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદનાં પાલડી વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના : માતાને મોતને ઘાટ ઉતારી પુત્રએ ગળે ફાંસો ખાધો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં એક 42 વર્ષીય પુત્રએ માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે જ્યારે પાડોશીએ દૂધ અને ન્યૂઝપેપર પડેલું જોયું તો તેમને શંકા ગઇ હતી. તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ACP, DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી માલ્યી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં 42 વર્ષીય મૈત્રેય ભગત અને 75 વર્ષીય તેમની માતા દત્તા ભગત એકલા જ ફ્લેટમાં રહેતા હતા.

મૈત્રેય ભગત અપરિણીત હતા અને GSL કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. જયારે વહેલી સવારે બાજુમાં રહેતા પડોશીએ ઘરની બહાર દૂધ અને ન્યૂઝ પેપર બહાર પડેલા જોયા હતા, જેથી તેમને શંકા ગઇ હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલી જોયું પુત્ર મૈત્રય ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં ACP, DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો બેડરૂમમાં માતાનો મૃતદેહ પડ્યો હતો અને મૃતક માતાની પાસેથી છરી પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સૂઇ રહેલી માતાની પુત્રએ છરી વડે હત્યા કરવામાં આવી છે.

માતાની હત્યા કર્યા બાદ પુત્રએ પણ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પાડોશીઓના જણાવ્ય અનુસાર મંગળવારે રાત્રે દત્તાબેન ભગના ઘરે કામવાળો વ્યક્તિ પણ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે દરવાજા પાસે દૂધ અને ન્યૂઝ પેપર પડેલા જોઇને તેમને ફોન કર્યો હતો પરંતુ કોઇએ રિસીવ કર્યો હતો. ત્યારે ઘરની ગેલેરીમાંથી જોયું અંદરથી દરવાજો બંધ હતો પછી બધાએ મળીને દરવાજો ખોલ્યો તો મૃતદેહો જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ACP, DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકે મંગળવારે રાત્રે તેમના મામા સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ છરી વડે માતાનું ગળુ વાઢી નાખીને હત્યા કરી હતી અને ત્યારબાદ પંખાથી લટકીને પોતે આત્મહત્યા કરી લીધી હશે એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. પરંતુ અત્યારે કોઇ અંતિમ નિર્ણય પર આવવું વહેલું ગણાશે. પોલીસે એફએસએલની ટીમની મદદ લઇને તપાસ શરૂ કરી દીધી છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!