રાજ્યમાં આ વખતે ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સિવાય ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા RBPH ના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે.
હાલ, ઉપરવાસમાં પાણીની 68786 ક્યુકેસ નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટી પણ 121.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 55 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નોંધનીય છે કે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 ટકા પાણી ભરાયેલું છે. કુલ 206 ડેમો પૈકી, 26 ડેમો 100 ટકા ભરાયેલા છે, જ્યારે 58 ડેમો 70 ટકા થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 40 ડેમો 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયા છે, અને 42 ડેમો 25 ટકા થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. હાલમાં 40 ડેમો 25 ટકાથી નીચે ભરાયેલા છે. રાજ્યના 40 ડેમો હાઇ એલર્ટ પર છે, 24 ડેમો એલર્ટ મોડ પર છે, અને 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે.
