અમદાવાદમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી પરંતુ પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં ઝાડા ઉલટીનાં ૯૪૦ તથા કોલેરાના ૩૨ કેસ નોંધાયા છે. વર્ષ-૨૦૨૩માં વર્ષાંત સુધીમાં કોલેરાના ૯૫ કેસ નોંધાયા હતા. આ વર્ષે સાત મહીનામાં જ કોલેરાના ૧૫૫ કેસ નોંધાયા છે. જેમાં અમરાઈવાડી, બહેરામપુરા, ચાંદલોડીયા, ગોમતીપુર ઉપરાંત દાણીલીમડા, લાંભા, મણિનગર, સરસપુર-રખિયાલ, ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા તેમજ ગોતા, જોધપુર, ખોખરા, નવા વાડજમાં કોલેરાના કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરુ પાડવામા આવતા પાણીના લેવાયેલા સેમ્પલ પૈકી ૭૩૬ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. ૧૫૫ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે.




