ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશમાં કહ્યું છે “મહાવીર જયંતીના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને જૈન સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓઆપું છું. મહાવીર જયંતી એ ભગવાન મહાવીરનીજન્મજયંતી છે – “અહિંસા અને કરુણા”નું પ્રતીક. આ તહેવાર આપણને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ભગવાન મહાવીરે આદર્શ અને સંસ્કારી સમાજના નિર્માણ માટે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય અને ત્યાગનો માર્ગ બતાવ્યો. તેમના ઉપદેશોમાનવજાતના કલ્યાણ માટે હંમેશા સુસંગત રહેશે. આ અવસર પર, ચાલો આપણે સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનો અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ.”
