Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજ્યંતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મોરબીમાં ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજ્યંતિનો કાર્યક્રમ યોજાવવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજ્યંતિનો કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે ટંકારામાં નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીના 200મા જન્મ જયંતિ મહોત્સવમાં 11 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી વર્ચ્યુલી જોડાયા હતા. PM મોદીએ દયાનંદ સરસ્વતીના સંસ્મરણો વાગોળ્યા હતા. PM મોદીએ કહ્યું કે દયાનંદ સરસ્વતી ઉજ્જવળ ભારતનું સપનું જોનારા સંત હતા.હંમેશા ભારતના વિકાસનો તેમને વિશ્વાસ હતો.કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ ટંકારાના કાર્યક્રમમાં હાજરી આપીને દયાનંદ સરસ્વતીને સ્મણાંજલિ અર્પી હતી.