Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોલકાતામાં પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે મલ્લિકાર્જુન ખડગેના ફોટા પર કાળી શાહી લગાવવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ બંગાળના કોલકાતામાં વિધાન ભવનની સામે કોંગ્રેસના ઘણા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓની તસવીરો છે, ત્યારે રવિવારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કોંગ્રેસના પ્રમુખ ના ફોટા પર કાળી શાહી લગાવવામાં આવી હતી, એહોર્ડિંગ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીરો પણ છે. પરંતુ તે ફોટોગ્રાફ્સ પર શાહીનું નિશાન પણ નથી. આ બાબત કોંગ્રેસના કાર્યકરોના ધ્યાને આવતાં જ તેઓએ તાત્કાલિક શાહીવાળા હોર્ડિંગ્સ અને બેનરો હટાવી દીધા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ થોડા દિવસો અગાઉ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, જો કેન્દ્રમાં ઇન્ડીગઠબંધનની સરકાર બનશે તો તેઓ તેને બહારથી સમર્થન આપશે. આ પછી અધીર રંજન ચૌધરીએ તેમના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું કે, મમતા બેનર્જી પર વિશ્વાસ કરી શકાય નહીં. તે ભાજપ સાથે જઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મમતા બેનર્જી મહાગઠબંધનની સાથે છે. તેણે હાલમાં જ કહ્યું છે કે તે સરકારમાં જોડાશે. અધીર રંજન ચૌધરી કોઈ નિર્ણય લેશે નહીં. નિર્ણય હું અને હાઈકમાન્ડ લેશે, જેઓ સહમત નથી તેઓ વોકઆઉટ કરશે.

જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હું એવા વ્યક્તિના પક્ષમાં ન બોલી શકું જે મને અને અમારી પાર્ટીને બંગાળમાં રાજકીય રીતે ખતમ કરવા માંગે છે. આ લડાઈ કોંગ્રેસના દરેક કાર્યકરની છે. મેં તેમના વતી વાત કરી છે. અધીર રંજને કહ્યું કે મમતા બેનર્જી સામેનો તેમનો વિરોધ તેમના સિદ્ધાંતવાદી વલણથી ઉદ્ભવે છે અને વ્યક્તિગત હિત કે નુકસાનથી નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારી તેમની સામે કોઈ અંગત દ્વેષ નથી, પરંતુ હું તેમની રાજકીય નૈતિકતા પર સવાલ ઉઠાવું છું.