Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, આ આગમાં 10 શ્રમિકનાં મોતની આશંકા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે, ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે તેમજ અંદાજે 15-20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ઘણા લોકો ફેકટરીમાં ફસાયેલા છે.જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે.

તેલંગાણાના સંગારેડ્ડીમાં પાટન ચેરૂ મંડળના સિગાચી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે 7 વાગ્યે વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું. જેમાં અકસ્માતના સમાચાર મળતા જ 11 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે. ઘાયલ કામદારોમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!