અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા તો અગન જવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી. 
બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ૮ ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે, ત્યારે રસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે, પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



