Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તમિલનાડુમાં ભૂસ્ખનની દુર્ઘટમાં પાંચ શ્રમિકોનાં મોત નિપજયાં, બે’ને ગંભરી ઈજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તમિલનાડુનાં શિવગંગઈ શહેરનાં મલ્લાકોટ્ટઈ અને સિંગમપુનારી વિસ્તારમાં ભૂસ્ખનની ભયાનક દુર્ઘટના બની છે. અહીં પથ્થરની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં પાંચ શ્રમિકોના મોત અને બે’ને ગંભીર ઈજા થઈ છે. મળતા અહેવાલો મુજબ શ્રમિકો ખાણમાં 450 ફૂટ નીચે કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગડે સહિતની ટીમો પહોંચી ગઈ છે. જયારે વધુમાં જાણવા મળ્યું હતું કે, અહીં પથ્થરની ખાણમાં અચાનક ભયાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ ભારે ખડકો સરકીને નીચે પડતાં મુરુગાનંદમ, અરૂમુગમ, ગણેશન, અંડીસામી અને ઓડિશાના હરષિતનું ઘટના સ્થળે જ મોત થયું છે.

જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે શ્રમિકોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માઈકલ નામના શ્રમિકની સ્થિતિ ગંભીર હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ તમિલનાડુ સરકારના મંત્રી પેરિયાકરુપન જિલ્લા અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ વહિવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ખાણના સંચાલનમાં થયેલી બેદરકારીની પણ તપાસ કરવા કહ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ઘટનાની જાણ થતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત માઈકલને એક લાખ રૂપિયા આપવાનો પણ આદેશ કર્યો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!