પંચમહાલનાં ગોધરા તાલુકા અને મોરવા હડફ બાદ હવે ઘોંઘબા તાલુકામા પણ ચાંદીપુરા વાઈરસને લઈને એક બાળકી મોતને ભેટયા બાદ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. આ વાઈરસનાં વધતા કેસોને લઈ પુનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીસ્ટની ટીમે પણ પંચમહાલમા ધામા નાખ્યા છે. ટીમ દ્વારા ગોધરાના કોટડા અને ત્યારબાદ આજે ઘોંઘબા તાલુકાના ઝીંઝરી ગામને મુલાકાત લીધા બાદ સેમ્પલો એકત્ર કરવાની કામગીરી કરવામા આવી હતી.
સેન્ટ ફ્લાયના પણ સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી. પંચમહાલમાં ચાદીપુરા વાઈરસને લઈને લોકોમા ભયનો માહોલ પણ વ્યાપી ગયો છે. પહેલો કેસ ગોધરા તાલુકામા નોધાયા બાદ પછી ઘોંઘબામા પણ આ મામલે શંકાસ્પદ કેસ નોધાતા એક બાળકીનુ કરુણ મોત થયુ હતુ. આ મામલે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરુરી તપાસ પણ કરવામા આવી હતી. હાલમા આ વાઈરસના વધતા કહેરને લઈને પુનાથી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીસ્ટની ટીમ આવી હતી, તેઓ આ મામલે વિવિધ સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામા આવી રહી છે.
ગોધરા તાલુકાના કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુનાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલા જીંજરી ગામે એક 11 માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને મોતને ભેટી હતી ત્યા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીસ્ટની ટીમ પહોચી પરિવારના સભ્યોના સેમ્પલ લીધા હતા સાથે સાથે આજુબાજુમાં જે પણ પડોશીઓ છે તેના સેમ્પલો એ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને અંદાજે 200 જેટલા સેન્ટફ્લાય આજુબાજુ માંથી કલેક્ટ કરીને પરીક્ષણ માટે પુના ખાતે મોકલવામા આવી હોવાની માહિતી મળી છે.




