Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છેલ્લા દસ વર્ષમાં દેશમાં વિવિધ રાજ્યોમાં કુલ 1,734 ચોરસ કિ.મી. જંગલો કાપીને ‘વિકાસ’ની મંજૂરી અપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં છેલ્લા દસ વર્ષમાં દસ જ વર્ષમાં વિવિધ રાજ્યોમાં કુલ 1,734 ચોરસ કિ.મી. જંગલો કાપીને ડેવલપમેન્ટ એટલે કે ‘વિકાસ’ની મંજૂરી અપાઈ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, 2014-15 અને 2023-24 વચ્ચે વનનિયમ અધિનિયમ 1980 હેઠળ માળખાગત વિકાસ માટે 1.73 લાખ હેક્ટર વન-જંગલોની જમીન પર વિકાસની મંજૂરી અપાઈ હતી. દેશમાં સૌથી વધુ 77,073 ચોરસ કિલોમીટર વન વિસ્તાર મધ્યપ્રદેશમાં છે.

જ્યાં દેશમાં સૌથી વઘુ 358.52 ચોરસ કિલોમીટર જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એવી જ રીતે ગુજરાતમાં 99.85 ચોરસ કિ.મી., ઓડિશામાં લગભગ 244 ચોરસ કિ.મી., તેલંગાણામાં 114.22 ચોરસ કિ.મી. અને અરુણાચલ પ્રદેશમાં 94.95 ચોરસ કિ.મી. જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એટલું જ નહીં, આ દસ વર્ષમાં સૌથી ઓછા જંગલો ધરાવતા રાજસ્થાનમાં પણ 87.96 ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હેતુફેર કરાયો છે.

તો મહારાષ્ટ્રમાં 85 ચોરસ કિ.મી., ઝારખંડમાં 83.53 ચોરસ કિ.મી., છત્તીસગઢમાં 79.25 ચોરસ કિ.મી. અને ઉત્તરપ્રદેશમાં 70.59 ચોરસ કિ.મી. વન-જંગલ વિસ્તાર હેતુ ફેર કરી દેવાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, દર બે વર્ષે જાહેર કરાતા ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં ફોરેસ્ટ કવર એટલે જંગલ વિસ્તાર વધી રહ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં 2013માં 6.98 લાખ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હતો, જે 2023માં વધીને 7.15 ચોરસ કિ.મી. થઈ ગયો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!