Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતે નેપાળ સાથેની સરહદ પર સુરક્ષા વધારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતને અડીને આવેલા નેપાળમાં સતત થઈ રહેલા હિંસક પ્રદર્શનોના લીધે નેપાળને અડીને આવેલા પશ્વિમ બંગાળના ઉત્તરી જીલ્લાઓ સરહદ પર સુરક્ષા વધારવા આવી છે. તેમજ નેપાળના સરકાર વિરોધી પ્રદર્શનના પગલે આ જીલ્લાઓમાં શાંતિ જાળવી રાખવા પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણો પાડોશમાં શાંતિ રહેશે તો આપણે પણ શાંતિ રહેશે.

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તર બંગાળના પ્રવાસ પર જતા પૂર્વે કોલકાતા એરપોર્ટ પર કહ્યું કે, અમે નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશને પ્રેમ કરીએ છીએ. તેમણે સિલીગુડી, ક્લીમ્પોંગ અને નેપાળ સરહદને અડીને આવેલા અન્ય વિસ્તારના લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ તણાવ પેદા થાય તેવી ગતિવિધીઓથી દુર રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે એ બાબત પર પણ ભાર મુક્યો કે વિદેશ નીતિ કેન્દ્ર સરકારનો વિષય છે. અમે તેમાં હસ્તક્ષેપ ના કરી શકીએ એ અમારા અધિકારક્ષેત્રની બહાર છે. અમે ઈચ્છીએ છે કે પાડોશી દેશમાં શાંતિ સ્થાપિત થાય.

આ ઉપરાંત ભારતે નેપાળ સાથેની 1751 કિલોમીટર લાંબી સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. જેના કારણે દાર્જિલિંગના પાણી ટાંકી સહિત અનેક પ્રદેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્ધલશ્કરી દળો અને પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. જ્યારે દાર્જિલિંગમાં એક નવી ચોકી સ્થાપિત કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિક્ષક પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, અહીં એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે જેમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અમે એલર્ટ મોડ પર છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમજ આ પ્રદર્શનના લીધે વાહન વ્યવહાર આંશિક રીતે ખોરવાયો હોવાથી ટ્રકો ફસાયેલી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!