વાલોડના રહેવાસી જાહીદખાન ઝમાનખાન પઠાણ (ઉ.વ.૪૫, રહે.વાલોડ) ના છે. તેઓ તારીખ ૦૩ મે ૨૦૨૫ નારોજ ભુજ જવા નીકળેલ હતા. તેઓને કામકાજ અર્થે કુવૈત જવાનું હોવાથી ભુજ મેડીકલ ચેક અપ માટે રવાના થયા હતા. પરતું તેમનો ફોન બંધ થયેલ હોય અને ત્યાર બાદ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી.
કાળા કલરનું શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ ૬ ફુટ ૨ ઇંચ છે, રંગે ઘઉંવર્ણના છે તેમજ ગરદનમાં જમણા ભાગે કાળા તલનું નિશાન છે. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો વ્યારા પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમનો ફોન નંબર ૦૨૬૨૬૨૨૧૫૦૦ અથવા વાલોડ પોલીસ કન્ટ્રોલ ૦૨૬૨૫૨૨૦૦૪૮ અથવા પર સંપર્ક કરવા વિનંતી છે.
