Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાલિતાણા શહેરમાં આવેલ બે ધર્મશાળાઓને નોટીસ ફટકારવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાલિતાણા શહેરમાં આવેલ ધર્મશાળાઓમાં ફાયર એન.ઓ.સી.ને લઈને રિઝનલ ફાયર ઓફિસર અને ટીમ દ્વારા વધુ બે ધર્મશાળાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. આ અગાઉ અત્રેની ૧૦ ધર્મશાળાઓને નોટીસ આપવામાં આવી હતી. પાલીતાણામાં હાલ જૈન સમાજ દ્વારા ચાતુર્માસ આરાધના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં આરાધકો આવ્યા હોય જેમાં આરાધકોની સંખ્યાને ધ્યાનમાં લઇ મંડપ અને ડોમ માટે ખુલ્લી જગ્યામાં બાંધવા માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરાયા હોય જેમાં કોઈ આગની ઘટના બને તો તેને ખાળવા માટે ફાયર અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક ચાતુર્માસ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક સ્ટ્રક્ચર પર જરૂરી ફાયરના બાટલા હતા.

જયા તે ન હતા ત્યાં નોટિસ પાઠવી તાત્કાલિક ફાયર બાટલા ૨ કિ.મી. થી ૫ કિ.મી.સુધીના અમુક અંતરે ડોમ મંડપમાં ગોઠવવા ભાવનગર તેમજ પાલીતાણાના ફાયર અધિકારીએ જરૂરી સૂચન કરી લેખિત નોટિસ પાઠવી હતી. જેમાં મળતી માહિતી અનુસાર ગત તા.૧૨-૭ના રોજ પાલીતાણા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવે ૧૦ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં તળેટી રોડ પર આવેલ સમદડી ભવન, પારણાં ભવન, જાલોરી ભવન, જેતાવાડા ધર્મશાળાની સામે ડોમમાં, ચેન્નઈ ભવન, અંકીબાઈ ધર્મશાળા, સૌધર્મ ધર્મશાળા, મહારાષ્ટ્ર ભવન, કસ્તુરધામ, બનાસકાંઠા ધર્મશાળા તે ઉપરાંત આજે વધુ બે ધર્મશાળાઓને નોટિસ ફટકારવામાં આવેલ જેમાં સુણતર ભવન, અને સાદડી ભવનનો પણ સમાવેશ થાય છે, જેમાં ભાવનગરથી રીઝનલ ફાયર ઓફિસર તેમજ પાલીતાણાના ફાયર ટીમ સાથે ચાતુર્માસ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં પણ નોટિસ આપેલ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!