Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાકિસ્તાને સતત સાતમા દિવસે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તારીખ 30 અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.

પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. પહલગામમાં આતંકી હુમલા બાદ અગાઉ પણ છઠ્ઠી અને પાંચમી રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. તારીખ 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો હતો. પહલગામ હુમલા પછી ભારતે ગયા બુધવારે સરહદ પારના સંબંધો પરના તણાવને ધ્યાનમાં રાખીને 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા, અટારી જમીન સરહદ ક્રોસિંગ બંધ કરવા અને પાકિસ્તાની લશ્કરી એટેચીને હાંકી કાઢવા સહિત અનેક દંડાત્મક પગલાંની જાહેરાત કરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!