ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી બેઠક બોલાવી છે. જેમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ શામેલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થઈ ગયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ વાતચીત બાદ આ શક્ય થયું છે જોકે ભારતે આ દાવો ફગાવી દીધો હતો.
