સોનગઢ તાલુકાનાં સોનારપાડાનાં રેલવે સ્ટેશન પાસે ગત તારીખ 05 એપ્રિલ નારોજ બેભાન અવસ્થામાં રઘુવીરસિંહ જેમસરસિંહ ચૌહાણ નાંઓને સોનગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.
ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યાં તેમનું તારીખ 13 એપ્રિલ નારોજ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મરણ પામનાર ઉત્તરપ્રદેશના જણાય છે અને તેમના સગા સંબંધીનો કોઈને પરિચય હોય તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.02626221500 કે સોનગઢ પોલીસ સ્ટેશનનાં ફોન નં.02624222033 પર સંપર્ક કરવો.




