ચોર્યાસી તાલુકાની તમામ આંગણવાડીઓમાં શપથ લઈને પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૦૯-૦૩-૨૦૨૪થી ૨૩-૦૩-૨૦૨૪ સુધી રાજ્યભરમાં પોષણ પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ પખવાડીયા ૨૦૨૪ની થીમ પોષણ ભી પઢાઈ ભી, પરંપરાગત સ્થાનિક આહાર પદ્ધતિઓનો વધારો, સગર્ભા અને ધાત્રી માતાને આરોગ્ય પોષણ, શિક્ષણ, મિલેટ્સ “શ્રી ધાન્ય” નું રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સમજ, વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતતા લાવવી, સ્વછતા,પાણી બચાઓ, પોષણક્ષમ આહાર, એનિમિયા, ૬ માસ બાદ યોગ્ય પૂરક આહાર,શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની સાચી પદ્ધતિ જેવી પોષણને લગતી પ્રવૃતિઓ અંગે લાભાર્થીઓને સમજણ આપવામાં આવે છે.




