Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત એટીએસે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા જામનગરના રહેવાસી મોહમ્મદ સકલીનની ધરપકડ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત એટીએસ ને મળી છે મોટી સફળતા, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મોહમ્મદ સકલીનની ધરપકડ કરી છે. જામનગરના રહેવાસી મહંમદ સકલેને સીમકાર્ડ ખરીદીને ભારતીય નંબર પર વોટ્સએપ એક્ટિવ કરી દીધું હતું. તે વોટ્સએપ નંબરથી જમ્મુ-કાશ્મીરમાં સેનાની જાસૂસી કરતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત એટીએસ દ્વારા આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પકડાયા હતા. આજે તેમાંથી એક આરોપી સકલીન જે ફરાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો:-

ભારતીય સેનાના જવાનોના મોબાઇલ ફોનમાં માલવેર મોકલીને જાસૂસી કરવાના પાકિસ્તાની ષડયંત્રનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસને મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી ઇનપુટ મળ્યા હતા કે એક પાકિસ્તાની જાસૂસે તેના ફોનમાં શંકાસ્પદ લિંક (વાઇરસ) મોકલીને ભારતીય સેવાના જવાનોનો ડેટા હેક કર્યો હતો અને ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી લીક કરી હતી. આ પછી ગુજરાત એટીએસે આ નંબરની તપાસ કરી હતી, જેમાં આ નંબર જામનગરના મોહમ્મદ સકલીનના નામે નોંધાયેલો હતો.

આ સીમકાર્ડ અસગરને આપવામાં આવ્યું હતું, જે જામનગરનો પણ છે અને પાકિસ્તાન એમ્બેસીમાં કામ કરતા એક વ્યક્તિએ આ સીમકાર્ડ ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી લાભશંકર મહેશ્વરીને આપ્યું હતું. 2005માં તેમણે અને તેમની પત્નીએ ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું. આ પછી લાભશંકરે 2022માં પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ વિઝામાં વિલંબ થયો હતો, જેના કારણે તેણે પાકિસ્તાનમાં રહેતા તેના માસીના પુત્ર કિશોર રામવાણી સાથે વાત કરી હતી. કિશોરે લાભશંકરને વોટ્સએપ પર પાકિસ્તાન દૂતાવાસમાં કોઈની સાથે વાત કરવા કહ્યું હતું. આ પછી લાભશંકર અને તેની પત્નીના વિઝા મંજૂર થયા હતા અને બંને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. બાદમાં તેણે ફરીથી પાકિસ્તાન એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો અને તેની બહેન અને તેના બાળક માટે પાકિસ્તાની વિઝા માટે તેને મંજૂરી અપાવી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!