Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લખનૌની લો યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લખનૌની રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં 19 વર્ષની વિદ્યાર્થીની અનિકા રસ્તોગીનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ રીતે રૂમમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. તેની સાથે LLBના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તે હોસ્ટેલના રૂમમાં પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે એવુ જાણવા મળી રહ્યું છે કે, અનિકા રાત્રે તેના રૂમમાં ગઈ હતી, ત્યારબાદ તેણે દરવાજો ખોલ્યો નહોતો. અનિકા ઘણા સમય સુધી જોવા ન મળતા તેના મિત્રોએ દરવાજો તોડીને જોયુ તો અનિકાને બેભાન અવસ્થામાં મળી હતી.

તેના મિત્રોએ જણાવ્યું કે, અનિકાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આશિયાના પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ અનિકાના મૃત્યુનું કારણ બહાર જાણી શકાશે. શંકાસ્પદ મોતને લઈને યુનિવર્સિટી અને પોલીસ પ્રશાસનમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને અનિકાના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આઘાતમાં સરી પડ્યા હતા. પરિવારજનો તેમજ યુનિવર્સિટીના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અનિકાના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. પોલીસ અને સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે, જે પણ સત્ય સામે આવશે તેની જાણ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!