ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક મીરા દાતાર તરીકે ઓળખાતા વિસ્તારમાં કાર, એસટી બસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે, જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં છે. બનાવની જાણ થતાં એસટી નિગમના અધિકારી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી વિગતો પ્રમાણે, ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા રોડ મીરદાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ, કાર અને બાઈક વચ્ચે બપોરના ૨.૩૦ કલાકના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર દેવાભાઇ મિતેષભાઈ સોની, જયભાઈ પટેલ તથા સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર (તમામ રહે.પાદરા, વડોદરા)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાઈક ચાલક ઈજા પહોંચી હતી.
જ્યારે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી પ્રાથમિક વિગતો અનુસાર રોંગ સાઈડથી આવતી કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈક બસની પાછલ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર સવાર ત્રણેય લોકો દિવ તરફથી આવી રહ્યાં હતા ત્યારે આ બનાવના પગલે સ્થાનિક પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં હતી.
