Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તરાખંડમાં 33 શ્રદ્ધાળુઓ ભરેલ બસ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરાખંડનાં ટિહરી-ઘંસાલી રોડ પર કેદારનાથ જઈ રહેલા ગુજરાતનાં 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી હતી. આ અકસ્માતમાં 15 શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા.

તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી લગભગ 1.5 કિ.મી આગળ ગુજરાતના 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!