Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માંગરોળનાં નાના બોરસરામાં ગેસ ગળતરનાં કારણે બે મજૂરોનાં મોત નિપજયાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે બે મજૂરોના મોત નિપજયાં હોવાનું સામે આવ્યું છે. ટાંકી સાફ કરવા ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ‘અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત નીપજ્યા હોવાની જાણ થઈ હતી. જેમાં યુપી અને બિહારના બે કામદારુનું જેરી દવાની અસરથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

જેને લઈને  બે મંગલમુર્તિ બાયોટેક કંપનીની સ્થળ તપાસ માટે આવ્યા છીએ. સુરતના માંગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં રાજન શર્મા અને રાજન સિંગ નામના બે કામદારોને ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા. બંને મૃતક કામદારો છેલ્લા બે વર્ષથી કંપનીમાં કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!