ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓને લઇને એક મોટી ખબર સામે આવી છે, રાજ્યની તમામ મદરેસામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, લગભગ હાલમાં 1100 મદરેસા કાર્યરત છે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યમાં આ સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી છે, જેમાં મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવશે. આ સર્વેમાં મદરેસાના સંચાલકનું નામ, ટ્રસ્ટ અને સંસ્થાનું નામ આપવા સૂચના અપાઇ છે. કઈ સંસ્થાની મંજૂરી મળી છે, અભ્યાસનો સમય શું છે તે અંગે પણ માહિતી આપવા સૂચનાઓ છે. 11 જેટલા મુદ્દાઓની તપાસ કરીને માહિતી આપવા સૂચના આપવમાં આવી છે. રાજ્યના તમામ ડીઈઓને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપાઇ છે. હાલમાં રાજ્યમાં 1100 મદરેસાઓ કાર્યરત છે.




