Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિધ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત બાદ ભારતે તેના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારતના વિદેશ મંત્રીએ પણ નિવેદન જારી કરીને સૂચનાઓ આપી છે. મળતી માહિતી મુજબ, કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઈજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ અને લડાઈનો વીડિયો વાયરલ થયો હતો, જેના પછી કિર્ગીઝ વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યા છે.

ભારતીય દૂતાવાસે તેના વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી પણ જારી કરી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસેટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. પરિસ્થિતિ હાલમાં શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમના ઘરની અંદર રહેવાની અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં સીધો એમ્બેસીનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરેટ્વિટર પર લખ્યું, ‘હું બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું, કહેવામાં આવી રહ્યું છે કે હવે શાંતિ છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.