તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ઓડિશાના રુષિકુલ્યા બીચ પર કુદરતનું અદભૂત સર્જન: ૨ લાખ ઓલિવ રિડલી કાચબાઓનું સામૂહિક ઈંડા મૂકવા આગમન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલો રુષિકુલ્યા બીચ અત્યારે એક અદભૂત પ્રાકૃતિક ઘટનાનો સાક્ષી બની રહ્યો છે. વિશ્વભરમાં દુર્લભ ગણાતા અંદાજે ૨ લાખ જેટલા ઓલિવ રિડલી સમુદ્રી કાચબાઓ માસ-નેસ્ટિંગ (Arribada) પ્રક્રિયા હેઠળ ઈંડા મૂકવા માટે અહીંના કિનારે ઉમટી પડ્યા છે. પોડામ્પેટા ગામથી બટેશ્વર મંદિર સુધીના અંદાજે ૫ કિમી લાંબા રેતાળ પટ્ટા પર પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે.

જંગલ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં જ અંદાજે ૧ થી ૧.૫ લાખ કાચબાઓ ઈંડા મૂકી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. દરેક માદા કાચબો રેતીમાં ખાડો કરી અંદાજે ૧૦૦ થી ૧૨૦ જેટલા ઈંડા મૂકે છે.આશરે ૪૫ થી ૫૦ દિવસ પછી ઈંડામાંથી બચ્ચાં બહાર આવશે અને દરિયા તરફ પ્રયાણ કરશે.દુર્લભ કાચબાઓના સંરક્ષણ માટે ઓડિશા વન વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઈંડા મૂકવાના ૫ કિમીના વિસ્તારને કોર્ડન કરી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કાચબાઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે રાત્રિના સમયે વન વિભાગની ટીમ દ્વારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવે છે. સ્થાનિક માછીમારો અને સ્વયંસેવક સંસ્થાઓ સાથે મળીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી દરિયાઈ પ્રવૃત્તિઓથી કાચબાઓને નુકસાન ન થાય. આ ઘટના દર્શાવે છે કે જો યોગ્ય વાતાવરણ અને સંરક્ષણ મળે, તો વિલુપ્ત થતી પ્રજાતિઓનું જતન સફળતાપૂર્વક કરી શકાય છે.