Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ સંહિતા 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન લે છે. સૂચિત કર્યા મુજબ, આ ફોજદારી કાયદાઓ1લીજુલાઈ, 2024થી અમલમાં આવશે.

આ કાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે, ખાસ કરીને હિતધારકો અને કાયદાનાજાણકારો માટે, કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આવતીકાલે એટલે કે 20 એપ્રિલ, 2024ના રોજ નવી દિલ્હીનાજનપથ સ્થિત ડો. આંબેડકરઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનાએડમિનિસ્ટ્રેશનમાંઈન્ડિયાઝપ્રોગ્રેસિવ પથ’ શીર્ષક હેઠળ એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતનાં મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં કાયદા અને ન્યાય મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલ,  એલડી શ્રી આર. વેંકટરામની, ભારતના એટોર્ની જનરલ શ્રી તુષાર મહેતા, એલડીસોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, શ્રી અજય કુમાર ભલ્લા, ગૃહ સચિવ, ભારત સરકાર સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

આ પરિષદનો ઉદ્દેશ ત્રણ ફોજદારી કાયદાઓની મુખ્ય બાબતો બહાર લાવવાનો અને ટેકનિકલ અને પ્રશ્નોત્તરી સત્રો મારફતે અર્થપૂર્ણ આદાનપ્રદાનનું આયોજન કરવાનો છે. આ ઉપરાંત વિવિધ અદાલતોના ન્યાયાધીશો, વકીલો, શિક્ષણવિદો, કાયદા અમલીકરણ એજન્સીઓનાપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ આ પરિષદમાં ભાગ લેશે. દિવસભર ચાલનારી આ પરિષદ ઉદ્ઘાટન સત્રથી શરૂ થાય છે અને સમાપન સત્ર સાથે પૂર્ણ થાય છે. આ દરમિયાન દરેક કાયદા પર એક-એક એમ ત્રણ ટેક્નિકલસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદઘાટન સત્રમાં ત્રણેય નવા ગુનાહિતકાયદાના વ્યાપક ઉદ્દેશો પર પ્રકાશ પાડશે.