Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાનની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આમ આદમી પાર્ટી ના વધુ એક મોટા નેતાની ધરપકડ કરવામાં આવી છે.વકફ પ્રોપર્ટી સંબંધિત એક કેસમાં દિલ્હીનીઓખલાસીટના પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મનીલોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. ED સવારે 11.30 વાગ્યાથી તેની પૂછપરછ કરી રહી હતી.તમને જણાવી દઈએ કે અમાનતુલ્લા ખાન વિરૂદ્ધ વકફ પ્રોપર્ટી સંબંધિત એક કેસમાં મનીલોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.ED સવારે 11 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી હતી અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર 2 દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી અમાનતુલ્લા ખાન આજે સવારે ED ઓફિસ પહોંચ્યા જ્યાં કેન્દ્રીય એજન્સી 11.30 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ પછી અમાનતુલ્લા ખાન આમ આદમી પાર્ટી (AAP)ના પાંચમા એવા મોટા નેતા છે જેમની ધરપકડ થઈ શકે છે. જેમાંથી માત્ર સંજય સિંહ જ જેલની બહાર હોવાથી તેને જામીન મળી ગયા છે. અમાનતુલ્લા વિરુદ્ધ મનીલોન્ડરિંગનો કેસ CBI FIR અને દિલ્હી પોલીસની 3 ફરિયાદો સાથે સંબંધિત છે.

વાસ્તવમાં અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેની સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. AAP નેતા પર દિલ્હી વક્ફ બોર્ડના ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે, જેના પગલે તેમની સામે મનીલોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ED ઓફિસમાં પ્રવેશતા પહેલા, તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે નિયમોનું પાલન કર્યું હતું અને કાયદાકીય અભિપ્રાય લીધા પછી અને 2013માં આવેલા નવા કાયદા (બોર્ડ માટે) મુજબ કામ કર્યું હતું.