Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તારીખ 30 મે’ના રોજ લોકસભા ચૂંટણીપ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તારીખ 30 મે’ના રોજ લોકસભા ચૂંટણીપ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. ભાજપના નેતાઓએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ તારીખ 30 મે’ની સાંજથી તારીખ 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. એવું માનવામાં આવે છે કે, અહીં વિવેકાનંદને ‘ભારત માતા’ વિશે દૈવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. વડાપ્રધાને વર્ષ-2019નાં ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં આવું જ ધ્યાન કર્યું હતું. લોકસભા ચૂંટણીનો પ્રચાર તારીખ 30 મે’ના રોજ સાંજે પૂર્ણ થશે.

મતદાનના છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 30 મે’ના રોજ આધ્યાત્મિક યાત્રા માટે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ મંગળવારે આ માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રી ગુરુવારે સાંજે કન્યાકુમારીના કિનારે સમુદ્રની મધ્યમાં તમિલ સંત તિરુવલ્લુવરની એકવિધ પ્રતિમા પાસે સ્થિત સુરમ્ય VRM ની મુલાકાત લે તેવી શક્યતા છે, એમ ભાજપના નેતાએ જણાવ્યું હતું. જે બાદ તેઓ 1 જૂને દિલ્હી જવા રવાના થશે. બીજેપી નેતાએ કહ્યું કે તેમની મુલાકાતને પાર્ટી સંબંધિત કોઈ કાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી.

પાર્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીનો તેમના આધ્યાત્મિક પ્રવાસ માટેના સ્થળ તરીકે કન્યાકુમારીને પસંદ કરવાનો નિર્ણય એ દેશ માટે વિવેકાનંદના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશમાં છેલ્લા તબક્કાનું મતદાન તારીખ 1 જૂને થવાનું છે. ચૂંટણીના બે દિવસ પહેલા ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થાય છે. પરિણામ તારીખ 4 જૂને આવશે. તમને જણાવી દઈએ કે કન્યાકુમારી એ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા. આ ખડકની સ્વામી વિવેકાનંદના જીવન પર ઘણી અસર પડી હતી. લોકોનું માનવું છે કે, જે રીતે ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ સ્થાન હતું તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આ શિલાનું વિશેષ સ્થાન હતું.

સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરીને અહીં પહોંચ્યા અને ત્રણ દિવસની તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું. વડાપ્રધાનશ્રી મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મે’થી 1 જૂન સુધી રહેશે. પીએમ મોદી 30 મે’થી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મે’ના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાનશ્રી મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાતનો આરામ કરશે.