કેન્દ્ર સરકાર દ્વારા તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે જેના ભાગરૂપે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની પ્રેરણાથી શહેરની વિવિધ સુમન હાઈસ્કૂલોમાં દેશ ભક્તિની થીમ ઉપર ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. તેમજ શાળાના બાળકો દ્વારા દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા વિવિધ ચિત્રો દોર્યા હતા. ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સાથોસાથ શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.




