તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વ્યારા જનરલ હોસ્પિટલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરી જનજાગૃતિનો સંદેશ આપ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “૨૪ મી માર્ચ, નારોજ વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી વ્યારા ખાતે કરવામાં આવી હતી. જેમાં આ વર્ષની થીમ “Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા” પર ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ‘ટીબી મુક્ત ભારત, જન આંદોલન “જન જાગૃતિ રેલીને રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા ક્ષય આરોગ્ય અધિકારી રાજુ ચૌધરીએ જણાવ્યુ હતુ કે,  ૨૪મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓએ જનજાગૃત વિશે માહિતી આપી અને જનજાગૃતિની રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય વિભાગને અભિનંદન પઠવાતા તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લાની ૫૩ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે તેમજ જિલ્લા કક્ષાના આ પ્રોગ્રામમાં રેલી કાઢી જિલ્લા ક્ષય નિવારણ કેન્ર્દના સભ્યોએ સહભાગીતા નોંધાવીને જિલ્લા કક્ષાની રેલીનુ આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

વ્યારા જનરલ હોસ્પીટલના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી રેલી જુના બસ સ્ટેન્ડ, નગરપાલિકા થઈ જનરલ હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મીઓ, નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.