સને ૨૦૨૦માં ઉમરગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વાપીની અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂપિયા પચાસ હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા તથા દંડની રકમ ઉપરાંત છ લાખ રૂપિયા વળતર તરીકે પીડિતાને આપવા પણ આદેશ થયો હતો. બનાવની વિગત એવી છે કે, ઉમરગામ તાલુકાના પુનાટ ગામે ૨૦૨૦માં બનેલી આ ઘટનામાં એક પરિવારની છ વર્ષની બાળકી નાનીના થરેથી આવી રહી હતી. 
બાળકી જ્યારે રડતી રડતી ઘરે પહોંચી, ત્યારે તેની માતાએ તેની હાલત જોઈ તેને પૂછતા ટોપીવાળા અંકલે તેની સાથે આ કર્યું હોવાની વાત જણાવી હતી, ત્યારબાદ કરતા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાવી પરિવારે આ મામલે પોલીસને ફરિયાદ આપી હતી. આ કેસમાં પોલીસે આરોપી સરોજલાલુ લાલબહાદુર સાવ (ગુપ્તા)ની ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટના આધારે ધરપકડ કરી હતી. આખરે આ કેસની કાર્યવાહી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી. આ દરમિયાન ડી જી પી અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો રજુ કરતા તે ચાભરાખીને વિદ્વાન ન્યાયાધીશ ટી.વી.આહુજાએ આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો. સાથે જ આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.



