Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 9 લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાતે લગભગ 2:00 વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યાં છે.

માહિતી અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી.  આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના 9 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું. મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!