તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આંધ્રપ્રદેશમાં તલ્લિકી વંદનમ યોજના શરૂ : આ યોજનામાં ધોરણ 1થી 12નાં તમામ વિદ્યાર્થીઓને 15 હજાર અપાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવામાં આવશે. યોજનાના નિયમ મુજબ આ રકમ સીધી વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં મોકલવામાં આવશે. યોજનાનો ફાયદો 67 લાખ મહિલાઓને થવાનો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી સરકારે રાજ્યમાં એક વર્ષ પુરુ કર્યું છે, જેને ધ્યાને રાખી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

યોજના 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. TDP પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ વર્ષ 2024ની ચૂંટણી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી, તેમાંથી આ તલ્લિકી વંદનમ યોજના એક છે. સરકારના સચિવ કોના શશિધરે આદેશમાં કહ્યું છે કે, રાજ્ય સરકારે તલ્લિકી વંદન યોજના શરૂ કરવા માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. યોજનાની મહત્ત્વની વાત એ છે કે, તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના સામેલ કરાયા છે. વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરતી વખતે નાણાં માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ મામલે સરકારે દિશા-નિર્દેશ જાહેર કરીને અંતિમરૂપ આપી દીધું છે.