તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ભાજપના આ પૂર્વ કોર્પોરેટરેદુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કરી રસ્તાઓ પર પડેલા ખાડા જાતે જ પૂર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂર્યા હતા.

વરસાદી સિઝન દરમિયાન સાવરકુંડલા શહેરના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ખાડાઓને કારણે અકસ્માતોનું જોખમ પણ વધી ગયું હતું. શહેરના સ્થાનિકો દ્વારા આ રસ્તાઓના ખાડા બુરવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જ્યારે લોકોની રજૂઆતોને ઘોળીને પીવામાં આવી, ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોર લોકોની મુશ્કેલીઓ જોઈને મેદાને પડ્યા હતા. તેમણે તંત્રની નિષ્ફળતા અને બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું. તેમણે શહેરભરમાં, દુકાને દુકાને ફરીને, લોકો પાસેથી “રૂપિયો-રૂપિયો” ઉઘરાવીને ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું હતું આ રીતે ભેગા થયેલા પૈસાનો ઉપયોગ તેમણે રસ્તાના ખાડા બુરવા માટે કર્યો હતો તેમણે જાતે જ શ્રમદાન કરીને, આ ઉઘરાવેલા પૈસાથી સામગ્રી ખરીદી અને શહેરના રોડ પરના ખાડાઓ પૂરી દીધા હતા. સાવરકુંડલામાં ભાજપના જ પૂર્વ સદસ્ય દ્વારા ભાજપ શાસિત સ્થાનિક તંત્ર સામે કરવામાં આવેલો આ વિરોધ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.