માલેગાવ બ્લાસ્ટ કેસમાં તમામ 7 આરોપીઓને એનઆઇએ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ અંગે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર નિર્ણયને વિસ્તારથી જોશે પછી જ કોઇ નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે જે પ્રકારે બાબતો સામે આવી રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ એક ષડયંત્ર હતું.
તેમણે કહ્યું કે આ આખુ ષડયંત્ર કોંગ્રેસ ગઠિત યુપીએનું હતું. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસની તપાસ પર સવાલ ઉભા કર્યા છે. આ અંગે સીએમ ફડણવીસે કહ્યું કે પોલીસ કરતા તો તત્કાલિન એટલ કે તે સમયની સરકાર વધુ જવાબદાર છે.
સીએમ ફડણવીસે કહ્યું કે 9/11 ના હુમલા પછી સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદનું વર્ણન સેટ કરવામાં આવ્યું હતું. આનો જવાબ આપવા અને કટ્ટરપંથીઓના મત મેળવવા માટે, તેમને વોટ બેંકમાં રૂપાંતરિત કરવા માટે, હિન્દુ આતંકવાદ અથવા ભગવા આતંકવાદનું વર્ણન સેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને આગળ લાવવા માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું. તેથી તે સમયની સરકાર પોલીસ કરતાં વધુ જવાબદાર છે.
કોર્ટે પોલીસ પર શું ઉઠાવ્યા સવાલ ? NIA કોર્ટે નિર્ણય સંભળાવતા પોલીસ પર સવાલ ઉભા કર્યા છે. તેઓએ કહ્યું કે સ્પોટ પંચનામા કરતી વખતે ઘટના બાદ જે હોબાળો થયો તે સમયે પથ્થરોને સીઝ ન કરવામાં આવ્યા. આ ઉપરાંત ફિંગર સેમ્પલ કલેક્ટ ન કરાયા. જે પુરાવા કલેક્ટ કરાયા તેનામાં છેડછાડ થઇ શકે છે. બાઇકનો ચેસિસ વાઇપ આઉટ નહોતો કરવામાં આવ્યો. તેને રિસ્ટોર ન કરવામાં આવ્યો. પંચનામુ કરતા સમયે તપાસ અધિકારી દ્વારા ઘટના સ્થળ પર કોઇ સ્કેચ બનાવવામાં આવ્યો નહી. તમામ પુરાવાને બેનિફિટ ઓફ ડાઉટના આધાર પર નિર્દોષ જાહેર કરાયા.




