Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest news: મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છના મુંદરાથી બે કિલોમીટર દૂર આવેલા ભોરારા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક સોઢા પરણેતરે પોતાના ત્રણ બાળકો સાથે ઝંપલાવતાં એક સાથે મહિલાના ત્રણ-ત્રણ પુત્ર રત્નોના ડૂબી જવાથી અરેરાટીભર્યા મોત નીપજતાં કચ્છભરમાં ગમગીનીનું મોજું ફેલાયું હતું.આ કરુણાંતિકામાં ત્રણ પુત્રો સાથે કેનાલમાં ડૂબી રહેલી મહિલા પર, કોઈનું ધ્યાન જતાં તેણે આસપાસના લોકોની મદદ લઇ, તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જ ત્રણ બાળકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાનું જણાયું હતું, જયારે મહિલા જીવિત જણાતાં તેણીને તત્કાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

આ કરુણાંતિકા અંગે મળતી માહિતી પ્રમાણે, માંડ બે હજાર લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં આવેલી સોઢા વસાહતમાં રહેતી સુરજબા બહાદુરસિંહ સોઢા, પોતાના ત્રણ-ત્રણ પુત્રો હરદેવસિંહ (ઉ.વ ૧૨), રવિરાજ (ઉ.વ ૧૦) અને યુવરાજસિંહ (ઉ.વ.૫) સાથે નજીકની નર્મદા કેનાલમાં ખાબકી હતી.તેણીએ ત્રણ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી. જો કે આ બનાવ પાછળ આર્થિક સંકડામણ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!