તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

લગ્નના સંબંધો તૂટી જવાથી નારાજ 47 વર્ષના એક વ્યક્તિએ તેના 55 વર્ષીય પાડોશીની હત્યા કરી, કોર્ટે હત્યારા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વારંવાર લગ્નના સંબંધો તૂટી જવાથી નારાજ 47 વર્ષના એક વ્યક્તિએ તેના 55 વર્ષીય પાડોશીની લાકડી વડે ફટકારીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે હત્યારા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઘટના ફિરોઝાબાદના સિરસાંગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે, જ્યાં 16 ઓગસ્ટ 2020ના રોજ આ ગુનો આચરવામાં આવ્યો હતો.

આ અંગે સતાધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી રામખિલાડી લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના સંબંધો એક પછી એક તૂટી રહ્યા હતા. તેને શંકા હતી કે પાડોશી ખેડૂત ગંગા સિંહ છોકરીવાળાઓને ખોટી માહિતી આપીને તેના સંબંધો બગાડી રહ્યા છે. આ ગુસ્સામાં રામખિલાડીએ 16 ઓગસ્ટ 2020ના રોજ ગંગા સિંહ પર ખેતરમાં જતી વખતે લાકડી વડે હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ગંગા સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.મીડિયા અહેવાલ અનુસાર, મૃતક ગંગા સિંહના પુત્ર હરવેન્દ્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેના પિતાની ચીસો સાંભળીને તે અને તેનો ભાઈ સુરેન્દ્ર દોડી આવ્યા હતા, ત્યારે રામખિલાડી અને તેના બે અજાણ્યા સાથીઓએ તેમને પણ મારવાની ધમકી આપી હતી. આ બંને ભાઈઓ જ ઘટનાના મુખ્ય ચશ્મદીદ ગવાહ બન્યા હતા. પોલીસે રામખિલાડી વિરુદ્ધ બીએનએસની કલમ 302 હેઠળ ગુનો નોંધીને ચાર્જશીટ દાખલ કરી હતી.કેસની સુનાવણી દરમિયાન આરોપી રામખિલાડીએ પોતાને માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મેડિકલ તપાસમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ જણાયો હતો. તેની જામીન અરજીને પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ચશ્મદીદોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે, કોર્ટે શનિવારે રામખિલાડીને આજીવન કેદ અને રૂ. 50,000નો દંડ ફટકારવાની સજા સંભળાવી હતી.