Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી, 3084 કરોડની સંપત્તિઓ જપ્ત કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઈડી 3084 કરોડની સંપત્તિઓ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ કાર્યવાહી 31 ઓક્ટોબર 2025 ના રોજ PMLA કાયદા હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રામાં તેમનું પાલી હિલ નિવાસ સ્થાન અને દિલ્હીમાં રિલાયન્સ સેન્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરીમાં અનેક જમીન પ્લોટ, ઓફિસો અને ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઈડીની તપાસમાં અનિલ અંબાણી ગ્રુપ દ્વારા બેંકો પાસેથી લીધેલા લોનનો દુરઉપયોગ કરવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડે લોકો અને બેંકો પાસેથી લીધેલા ભંડોળનો દુરુપયોગ કર્યો. જેમાં વર્ષ 2017-2019 ની વચ્ચે યસ બેંકે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં આશરે 2965 કરોડ રૂપિયા અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ માં 2045 રોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ રોકાણો પાછળથી તૂટી પડ્યા જેના કારણે બંને કંપનીઓ પર હજારો કરોડ રૂપિયાનું બાકી લેણું બાકી રહ્યું.જેમાં ઇડીની તપાસમાં પ્રકાશમાં આવ્યું કે, સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં પરોક્ષ રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નાણાં યસ બેંક દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા અને આ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઈડીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) કેસમાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. ઈડી રૂપિયા 13,600 કરોડથી વધુના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. જેમાં ગ્રુપ કંપનીઓને ટ્રાન્સફર કરાયેલી મોટી રકમ અને છેતરપિંડીથી જાળવી રાખેલી લોનનો સમાવેશ થાય છે. ઈડીએ કહ્યું છે કે આ કાર્યવાહી નાણા પરત મેળવવામાં મદદ કરશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!