બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2025 એનડીએ ગઠબંધનને પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપે 90 થી વધુ બેઠકો જીતી છે અને જેડીયુ એ 80 થી વધુ બેઠકો જીતી છે. ચિરાગ પાસવાનના એલજીપી એ પણ 20 થી વધુ બેઠકો મેળવી છે. જ્યારે ભાજપ અને જેડીયુએ એનડીએ ના બહુમતીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારે ચિરાગ પાસવાનની એલજેપીએ પણ આ વિજયને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
એનડીએ ગઠબંધનની જીત બાદ ચિરાગ પાસવાને કહ્યું કે બિહારમાં ડબલ-એન્જિન સરકારને મજબૂત કરવાનો સમય આવી ગયો છે, જેમાં ડા પ્રધાનમોદી અને નીતિશ કુમાર આગામી પાંચ વર્ષ માટે બિહારને વિકાસ તરફ દોરી જવા માટે કામ કરશે. આ એનડીએ પર સવાલ ઉઠાવનારાઓને જવાબ છે. તેમણે કહ્યું કે આ પીએમ મોદી અને નીતિશ કુમારની જીત છે. સીએમ નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બિહારના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં અમને પ્રચંડ બહુમતી આપીને અમારી સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેની માટે રાજ્યના તમામ મતદારોનો નમન, હૃદયપૂર્વકનો આભાર. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સમર્થન માટે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની આગેવાનીમાં એલજેપી રામ વિલાસે પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બધી બેઠકો જીતી હતી.



